Amit Surka Success Story

પિતાનું અવસાન થતા માતા પણ છોડીને ચાલી જતા ત્રણ ભાઈ - બહેનને વૃધ્ધ દાદા - દાદીના સહારે મોટા થયા. મારું સ્વપ્ન શિક્ષક બની સેવા કરવાનું હતું પરંતુ પરિવારની પરિસ્થિતિ સામે આ વાત કહેવાની હિમ્મત ન હતી.અચાનક કોઈએ મારા દાદાને વાત્સલ્યધામ અંગે કહેતા તેઓ મને મૂકી ગયા. ૧ થી ૧૨ સુધી વાત્સ્લ્યાધામમાં અભ્યાસ પૂર્ણ કર્યો. મારા જીવનને પાયામાંથી ઘડનાર મારા પાલક પિતા શ્રી વસંતદાદા અમારા જેવા અનેક બાળકોના બેલી હોય મને મારા ભવિષ્ય અંગે પૂછતા મેં મારી રજૂઆત કરી અને મને ગુજરાતની પ્રથમ નંબરની ગણાતી પી.ટી.સી. કોલેજ લોકભારતી સણોસરા મોકલ્યો હમણાં જ પૂર્ણ કરીને હાલ મારી જ માતૃ સંસ્થામાં મારા જ ભાઈ - બહેનોને શિક્ષક તરીકે સેવા આપું છુ.

 
Amit Surka

Teacher
Vatsalyadham